નારાયણ સરોવર અભયારણ્ય ભારતના ગુજરાતરાજ્યના કચ્છ જિલ્લાના લખપત તાલુકામાંહિન્દુઓના યાત્રાધામ નારાયણ સરોવર નજીક આવેલું આવેલું આઇ.યુ.સી.એન. શ્રેણી ૪ (વસવાટ/જાતી પ્રબંધન વિસ્તાર) હેઠળ અને વનવિભાગના અનુસાર અભયારણ્ય શ્રેણી હેઠળ આરક્ષીત છે.
અહીં પહોંચવા માટે નજીકનું વિમાન મથક અને રેલ્વે સ્ટેશન ભુજ ખાતે ૧૧૫ કિમી અંતરે અને નજીકનું બસ સ્ટેશન દયાપર ૧૫ કિમી અંતરે આવેલું છે.
અહીં મુખ્યત્વે ચિંકારાઓ જોઈ શકાય છે.
આ ઉપરાંત બસ્ટાર્ડ (bustard)ની ત્રણે પ્રજાતિ જેમાં ઘોરાડ, Houbara Bustard અને Lesser Florican જોવા મળે છે. રણપ્રદેશનું પક્ષી એવું Black Partridge, ૧૮ પ્રકારની સર્પ પ્રજાતિ અને ૧૮૪ પ્રકારનાં પક્ષીઓ જેમાં ૧૯ પ્રકારનાં raptor પણ અહીં જોવા મળે છે.
વનસ્પતિમાં ગોરડ, પીલુ, થોર, ગુગળ, બોરડી અને બાવળ જેવાં ૩ થી ૫ મી. ઊંચા કાંટાળા વૃક્ષો સહીત ૨૫૨ પ્રકારની વનસ્પતિ જોવા મળે છે.
આ ઉપરાંત મોટાભાગે ઘાસીયાં મેદાન અને ઝાંખરાઓ આવેલાં છે.
આ સરોવર ક્ષેત્રને ૧૯૮૧માં નારાયણ સરોવર અભયારણ્ય ઘોષિત કરવામાં આવ્યું છે.
આ અભયારણ્યનું ક્ષેત્રફળ ૪૪૪.૨૩ ચો.મી. છે
No comments:
Post a Comment