22 February 2017

નરસિંહ મહેતા

🎯નરસિંહ મહેતા🎯

નરસિંહ મહેતા ગુજરાતી ભાષાના પ્રથમ કવિ હતા. આથી તેઓ આદ્ય કવિ કહેવાય છે. તેમણે લખેલી રચનાઓમાં ભજન વૈષ્ણવ જન ખૂબ જાણીતું છે, જે મહાત્મા ગાંધીનું ખૂબ પ્રિય હતું. આ ભજનમાં સારા માનવીના ગુણો (મૂલ્યો)નું સરસ રીતે વર્ણન કરેલું છે.

આદ્ય કવિશ્રી નરસિંહ મહેતા

જન્મની વિગત૧૪૧૪
તળાજા

મૃત્યુની વિગત૧૪૮૦

રહેઠાણ  - જૂનાગઢ, (ગુજરાત, ભારત)

હુલામણું નામ- નરસૈયો

વ્યવસાય- કવિ
વતન- ભાવનગર

ધર્મ હિંદુ-
જીવનસાથી માણેકબાઇ

સંતાન  -  શામળદાસ, કુંવરબાઇ

માતા-પિતા - દયાકુંવર, કૃષ્ણદાસ ( પુરુષોત્તમદાસ)

જીવન

નરસિંહ મહેતાનો જન્મ ભાવનગર જિલ્લાનાંતળાજા ગામમાં ઈ.સ.૧૪૧૪ માં નાગર બ્રાહ્મણ શ્રી કૃષ્ણદાસ મહેતાને ત્યાં થયો હતો. તેઓ પછીજુનાગઢ (ત્યારનું જુર્ણદુર્ગ) ખાતે સ્થાયી થયા હતા. ૫ વર્ષની ઉંમરે તેમણે માતા-પિતાને ગુમાવ્યા હતા. તેઓ ૮ વર્ષની વય સુધી બોલી શકતા નહોતા. તેમનો ઉછેર તેમની દાદી જયગૌરી દ્વારા થયો હતો.

તેમના લગ્ન કદાચ ૧૪૨૯માં માણેકબાઇ સાથે થયા. તેઓ અને તેમની પત્નિ તેમના ભાઇ બંસીધરને ત્યાં જુનાગઢમાં રહેતા હતા.

તેમને શામળશા નામનો પુત્ર અને કુંવરબાઇ નામની પુત્રી હતી.

સર્જન

નરસિંહ મહેતાએ શામળદાસનો વિવાહ, કુંવરબાઇનુ મામેરુ, નરસિંહ મહેતાના બાપાનું શ્રાદ્ધ, હુંડી, ઝારીનાં પદ, સુદામા ચરિત્ર, દાણલીલા, ચાતુરીઓ, જીવન ઝરમર વિગેરે ૧૫૦૦થી વધારે પદો રચ્યા છે. તેમણે રચેલા સાહિત્યમાં કૃષ્ણ ભક્તિના દર્શન થાય છે.

સન્માન

ગુજરાતી ભાષાનાં શ્રેષ્ઠ કવિઓને તેમની યાદમાંનરસિંહ મહેતા એવોર્ડ આપવામાં આવે છે, જેની શરૂઆત ઈ.સ. ૧૯૯૯થી થઈ છે. આ એવોર્ડઆદ્યકવિ નરસિંહ મહેતા સાહિત્યનિધિ ટ્રસ્ટ દ્વારા આપવામાં આવે છે.

લોકપ્રિયતા

નરસિંહ મહેતા (૧૯૩૨ ચલચિત્ર)

તેમના જીવન પરથી ગુજરાતી ભાષાનું પ્રથમ ચલચિત્ર નરસિંહ મહેતા બન્યું હતું.

No comments:

Recent post

ભારતનું બંધારણ Question & Answer

નમસ્તે