27 May 2015

1 to 100 Que & ans



1

બિલિયર્ડ્સની રમતમાં ગુજરાતને વિશ્વસ્તરે નામના અપાવનાર ખેલાડીનું નામ જણાવો.    Ans: ગીત શેઠી

2

દેના બેંકની સ્થાપના કોણે કરી હતી?    Ans: દેવકરણ નાનજી

3

‘પાંડવોની શાળા’ અને ‘ભીમનું રસોડું’ જેવાં સ્થાપત્યો ગુજરાતના કયા સ્થળે આવેલા છે ?    Ans: ધોળકા




4

ઇ.સ. ૧૯૧૯માં કયા એકટ વિરુદ્ધ ગુજરાતમાં હડતાળ પડી?    Ans: રોલેટ એકટ

5

મધ્યકાલીન યુગમાં શામળનું વતન વેંગણપુર હાલમાં અમદાવાદનો કયો વિસ્તાર છે ?    Ans: ગોમતીપુર

6

અમદાવાદમાં આવેલી જામા મસ્જિદ કોણે બંધાવી હતી ?    Ans: બાદશાહ અહમદશાહ

7

ગુજરાતનો સૌથી મોટો પશુઓનો મેળો કયાં ભરાય છે ?    Ans: વૌઠા

8

ગુજરાત બહાર પૂજયશ્રી મોટાએ કયાં આશ્રમ સ્થાપ્યો હતો?    Ans: કાવેરીને કાંઠે કુંભકોણમ્માં

9

વઘઈમાં આવેલો ગુજરાતનો સૌથી મોટો બોટનિકલ ગાર્ડન કેટલા વિસ્તારમાં ફેલાયેલો છે?    Ans: ૨.૪૧ ચો કિ.મી.

10

રવીન્દ્રનાથ ટાગોરે આનંદશંકર ધ્રુવને કયું બિરુદ આપ્યું હતું?    Ans: ઉત્તમ વ્યવહારજ્ઞ

11

અમદાવાદ એજયુકેશન સોસાયટીના સ્થાપના કોણે કરી હતી?    Ans: કસ્તુરભાઈ લાલભાઈ

12

ગુજરાતમાં સૌથી છેલ્લે સૂર્યાસ્ત કયા જિલ્લામાં થાય છે ?    Ans: કચ્છ

13

કયા ગુજરાતી ખગોળશાસ્ત્રીને અમેરીકન ખગોળ વિજ્ઞાન સંસ્થા ‘નાસા’માં કામ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું?    Ans: ડૉ. ઉપેન્દ્ર દેસાઇ

14

કવિ સુન્દરમ્ ના પ્રથમ કાવ્ય સંગ્રહનું નામ જણાવો.    Ans: કોયા ભગતની કડવી વાણી

15

પ્રજ્ઞાચક્ષુઓ માટે ગુજરાતમાં કઇ સંસ્થા કાર્યરત છે અને તે કયાં આવેલી છે?    Ans: અંધજન મંડળ-અમદાવાદ

16

ભૂદાન ચળવળના પ્રણેતા વિનોબાભાવે કોના આધ્યાત્મિક વારસદાર ગણાય છે?    Ans: ગાંધીજી

17

આશાવલ કોણે જીતી લેતા તેનું નામ કર્ણાવતી રાખવામાં આવ્યું?    Ans: કર્ણદેવ સોલંકી

18

ભારતની સૌ પ્રથમ મોર્ડન ડાયસ્ટફ કંપની કોણે સ્થાપી ?    Ans: કસ્તુરભાઇ લાલભાઇ

19

શ્યામજીકૃષ્ણ વર્મા એ ‘ઈન્ડિયા હાઊસ’ ની સ્થાપના કયારે કરી હતી?    Ans: ફેબ્રુઆરી-૧૯૦૫

20

કચ્છમાં આવેલા કયા સરોવરનું પાણી સમુદ્ર નજીક હોવા છતાં પણ મીઠું છે ?    Ans: નારાયણ સરોવર

21

‘નેમિનાથ ફાગુ’ની રચના કોણે કરી છે?    Ans: કવિ રાજશેખર

22

ગુજરાતના પક્ષીઓ વિશેની વિસ્તૃત જાણકારી આપતું પુસ્તક ‘પક્ષીજગત’ કોણે લખ્યું છે?    Ans: પ્રદ્યુમન કંચનરાય દેસાઇ

23

અમદાવાદમાં બંધાયેલા કયા લોખંડના પુલને હજી સુધી કાટ લાગ્યો નથી ?    Ans: એલિસબ્રીજ

24

શિયાળામાં અમદાવાદ જિલ્લાના કયા સ્થળે ૨૦૦થી વધારે જાતિના વિદેશી પક્ષીઓ સૌનું આકર્ષણનું કેન્દ્ર બને છે?    Ans: નળ સરોવર

25

ગોંડલમાં આવેલા અને પોતાની સ્થાપત્યકિય રચનાને કારણે જાણીતા મહેલનું નામ આપો.    Ans: નવલખા મહેલ

26

કર્કવૃત્ત ગુજરાતમાં કયાંથી પસાર થાય છે?    Ans: ઉત્તર ભાગમાંથી

27

ઇ.સ. ૧૮૪૯ ગુજરાતી ભાષામાં પ્રથમ સાપ્તાહિક કોણે પ્રકાશિત કર્યું?    Ans: એલેકઝાન્ડર કિન્લોક ફોર્બ્સ

28


‘છંદોલય બૃહત’ કયા જાણીતા કવિનો કાવ્યસંગ્રહ છે?    Ans: કવિ નિરંજન ભગત

29

ભાગવતના દશમસ્કંધને કયા કવિએ ગુજરાતીમાં પદબદ્ધ કર્યો છે ?    Ans: કવિ ભાલણ

30

ગુજરાતનું સૌથી ઊંચું શિખર કયું છે?    Ans: ગિરનાર

31

હિન્દી ચલચિત્રના સેન્સર બોર્ડના અધ્યક્ષનું સ્થાન પામનાર પ્રથમ ગુજરાતી મહિલા કોણ છે?    Ans: આશા પારેખ

32

રણઝણિયું અને પજણિયું વગાડીને નાચતાં ગાતાં આદિવાસી જોડકા જોવાનો લ્હાવો કયા મેળામાં મળે છે?    Ans: શામળાજીના મેળામાં

33

હેમચંદ્રાચાર્યના કયા ગ્રંથમાં અપભ્રંશદૂહા જોવા મળે છે ?    Ans: સિદ્ધહેમ શબ્દાનુશાસન

34

ભુજ પાસે કયું પ્રાચીન ધાર્મિક સ્થળ આવેલું છે ?    Ans: કોટેશ્વર મંદિર

35

અત્તર અને સુગંધી દ્રવ્યોનો ઉદ્યોગ કયા શહેરમાં વિકસ્યો છે ?    Ans: પાલનપુર

36

કર્કવૃત્ત ગુજરાતના કેટલા જિલ્લામાંથી પસાર થાય છે ?    Ans: ચાર

37

ગાંધીજીનો જન્મ કયાં અને કયારે થયો હતો?    Ans: ૨ ઓકટોબર ૧૮૬૯, પોરબંદર

38

‘ગુજરાતની અસ્મિતા’ શબ્દનો સૌપ્રથમ પ્રયોગ કરનાર ગુજરાતી લેખકનું નામ જણાવો.    Ans: કનૈયાલાલ મુનશી

39

ગુજરાતના કયા આદિવાસી લોકગાયિકાને પદ્મશ્રીથી સન્માનિત કરાયા છે?    Ans: દિવાળીબેન ભીલ

40

દ્વારકાનું મંદિર કઇ નદીના કાંઠા ઉપર આવેલું છે ?    Ans: ગોમતી નદી

41

ગુજરાતની સૌથી મોટી સિંચાઇ યોજના કઇ છે?    Ans: સરદાર સરોવર નર્મદા યોજના

42

ચોરવાડથી વેરાવળ સુધીની અખિલ હિન્દુ ઓપન-સી તરણસ્પર્ધા કોની સ્મૃતિમાં યોજાય છે?    Ans: વીર સાવરકર

43

હિંદ છોડો આંદોલન દરમિયાન ગુજરાત કૉલેજમાં તિરંગો લહેરાવવા જતાં કોણે શહીદી વહોરી?    Ans: વિનોદ કિનારીવાલા

44

હડ્ડપીય સંસ્કૃતિના મહત્ત્વના સ્થળ લોથલની શોધ કયા પુરાતત્ત્વશાસ્ત્રીએ કરી હતી ?    Ans: ડૉ. એસ.આર.રાવ

45

સવાયા ગુજરાતી તરીકે ઓળખાયેલા સાહિત્યકાર કાકાસાહેબ કાલેલકરની મૂળ અટક શું હતી?    Ans: રાજાધ્યક્ષ

46

‘સિદ્ધહેમશબ્દાનુશાસન’ કયા સાહિત્યપ્રકારમાં લખવામાં આવ્યો છે?    Ans: દુહા

47

કવિઓ દ્વારા ખૂબ પ્રશંસા પામેલા પક્ષી ચાતકને સૌરાષ્ટ્રમાં કયા નામથી ઓળખવામાં આવે છે?    Ans: મોતીડો

48

વિખ્યાત જેસલ-તોરલની સમાધિ કચ્છ જિલ્લામાં કયાં છે ?    Ans: અંજાર

49

કયો મોગલ રાજા ગુજરાતને હિંદનું આભૂષણ માનતો હતો?    Ans: ઔરંગઝેબ



50

ગુજરાત રાજયના પ્રથમ રાજયપાલ કોણ હતા?    Ans: મેંહદી નવાઝ જંગ

51

નિરંજન ભગતના બધા કાવ્યો કયા કાવ્યસંગ્રહમાં સંગ્રહિત થયા છે?    Ans: છંદોલય


52

રમણલાલ સોનીનું ગુજરાતી સાહિત્યના કયા ક્ષેત્રમાં પ્રદાન છે ?    Ans: બાળ સાહિત્ય


53

અરવલ્લીની ગિરિમાળામાં રહેતા આદિવાસીઓનાં ઘર કયા નામે ઓળખાય છે?    Ans: ખોલકું


54

કયું પક્ષી ગુજરાતમાં ‘રૉયલ બર્ડ’ તરીકે પણ ઓળખાય છે?    Ans: ફલેમિંગો


55

ગુજરાતનું થર્મલ પાવર સ્ટેશન કયાં આવેલું છે?    Ans: ઉકાઇ


56

ખો-ખોની રમતમાં ઉત્કૃષ્ટ દેખાવ કરીને અર્જુન એવોર્ડ મેળવનારા પ્રથમ ખેલાડી કોણ છે?    Ans: સુધીર ભાસ્કર


57

ગુજરાતમાં કયું સ્થળ ‘પારસીઓનું કાશી’ ગણાય છે ?    Ans: ઉદવાડા


58

નર્મદના કયા કાવ્યમાં એનું આત્મચરિત્ર નિરૂપાતું જોવા મળે છે ?    Ans: વીરસિંહ


59

ગુજરાતમાં સૌથી ઊંચુ શિખર કયું છે?    Ans: ગોરખનાથનું શિખર-ગિરનાર


60

ખેડબ્રહ્મા, ઈડર અને શામળાજી નજીકની ટેકરીઓ કયા નામથી ઓળખાય છે?    Ans: આરાસુરની ટેકરીઓ


61

તરણા ઓથે ડુંગર રે, ડુંગર કોઈ દેખે નહીં’ - જેવી સુંદર રચનાના રચયિતાનું નામ જણાવો.    Ans: કવિ ધીરો


62

માત્ર ૧૭ વર્ષની વયે શીતળાના કારણે આંખો ગુમાવવા છતાં હિંદુ અને જૈન દર્શન ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરનાર વિદ્વાન કોણ હતા ?    Ans: પંડિત સુખલાલજી


63

પિરોટોન ટાપુ શેના માટે સુપ્રસિદ્ધ છે ?    Ans: સામુદ્રિક રાષ્ટ્રીય ઉદ્યાન


64

ગુજરાત ટુરિઝમ ડિપાર્ટમેન્ટ દર વર્ષે ‘સમર ફેસ્ટીવલ’ કયાં યોજે છે ?    Ans: સાપુતારા


65

ગુજરાતના કયા જિલ્લામાં સુરખાબનગર રચાય છે ?    Ans: કચ્છ


66

નરસિંહ મહેતાએ પોતાનાં કાવ્યસર્જનમાં કયો પદપ્રકાર અપનાવ્યો હતો?    Ans: પ્રભાતિયાં


67

જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર પ્રથમ ગુજરાતી સાહિત્યકાર કોણ છે?    Ans: ઉમાશંકર જોષી


68

ગુજરાતના કયા રમતવીરનું નામ વોટરપોલોની રમતમાં જાણીતું છે?    Ans: કમલેશ નાણાવટી


69

આશાપુરા માતાનો મઢ કયાં આવેલો છે?    Ans: કચ્છ


70

કૃષ્ણમિત્ર સુદામાનું એકમાત્ર મંદિર કયાં આવેલું છે ?    Ans: પોરબંદર


71

મહાત્મા ગાંધીએ સાબરમતી આશ્રમની સ્થાપના કયારે કરી હતી?    Ans: ઇ.સ. ૧૯૧૭


72

કયા મહારાષ્ટ્રીયન કવિએ ગુજરાતી સાહિત્યમાં નોંધપાત્ર ફાળો આપ્યો છે ?    Ans: બાપુસાહેબ ગાયકવાડ


73

ગુજરાતનું કયું શહેર સૌથી વધુ વસતી ધરાવે છે?    Ans: અમદાવાદ


74

કવિ ઉમાશંકર જોશીના કયા કાવ્યસંગ્રહને ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો છે?    Ans: નિશીથ


75

ગુજરાતમાં સૌપ્રથમ એકસપ્રેસ હાઇવે નં.૧ કયા શહેર વચ્ચે ખુલ્લો મૂકવામાં આવ્યો?    Ans: અમદાવાદ - વડોદરા


76

પરદેશમાં સૌપ્રથમ ભારતીય રાષ્ટ્રધ્વજ ફરકાવનાર ગુજરાતી કોણ હતા?    Ans: મેડમ ભિખાઈજી કામા


77

ગુજરાતનો કયો જિલ્લો વિશ્વની સૌથી મોટી ફલેમિંગો વસાહત માટે જાણીતો છે?    Ans: કચ્છ


78

ગુજરાત સરકારની ભાષાનિયામકની કચેરી કયું સામયિક પ્રકાશિત કરે છે?    Ans: રાજભાષા


79

કવિ દલપતરામનો જન્મ કયાં થયો હતો ?    Ans: વઢવાણ


80

ગુજરાત સરકાર દ્વારા પારિતોષિક પ્રાપ્ત ‘વ્યકિત ઘડતર’ પુસ્તકના લેખક કોણ છે?    Ans: ફાધર વાલેસ


81

લંડનમાં ઇન્ડિયન હોમરૂલ સોસાયટીની સ્થાપના કોણે કરી હતી?    Ans: શ્યામજીકૃષ્ણ વર્મા


82

‘માધવાનલ કામ કંદલા દોગ્ધક’ - પદ્યવાર્તાના રચયિતા કોણ છે?    Ans: કવિ ગણપતિ


83

ભવાઈમાં સ્ત્રીપાત્રો ભજવનાર પુરુષમંડળી કયા નામે ઓળખાતી ?    Ans: કાંચળિયા


84

સુરત પાસે કયો દરિયાકિનારો પ્રખ્યાત છે ?    Ans: ડુમ્મસ


85

મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની સૌથી જૂની કૃતિ કઈ ગણાય છે ?    Ans: ભરતેશ્વર-બાહુબલિરાસ


86

કચ્છનો લિગ્નાઈટ પર આધારિત વીજળી પ્રોજેકટ કયાં આવેલો છે ?    Ans: પાન્ધ્રો


87

કવિ ‘કાન્ત’ નું મૂળ નામ શું છે?    Ans: મણિશંકર રત્નજી ભટ્ટ


88

ટેસ્ટ ક્રિકેટમાં હેટ્રિક લેનાર એકમાત્ર ભારતીય ઝડપી ગોલંદાજ કોણ છે?    Ans: ઇરફાન પઠાણ


89

હાથબ કાચબા ઉછેર કેન્દ્ર કયા જિલ્લામાં આવેલું છે ?    Ans: ભાવનગર

90

મધ્યકાલીન સાહિત્યનું પહેલું બારમાસી કાવ્ય કયું છે ?    Ans: નેમિનાથ ચતુષ્યદિકા

91

ગુજરાતી મહિલા માલા ચિનોયને કયા ક્ષેત્રમાં પ્રદાન આપવા બદલ પ્રતિષ્ઠિત ટ્રેઇલ બ્રેઝર એવોર્ડ આપવામાં આવ્યો છે ?    Ans: તબીબી ક્ષેત્રે

92

ગુજરાતમાં સૌપ્રથમ ગટર લાઇન કયાં અને કયારે અસ્તિત્વમાં આવી હતી?    Ans: અમદાવાદ-ઇ.સ. ૧૮૯૦

93

ગુજરાતના કયા અભયારણ્યમાં રીંછ જોવા મળે છે ?    Ans: જેસોર

94

ગુજરાતનું રેલવે સુરક્ષાદળનું તાલીમ કેન્દ્ર કયાં આવેલું છે ?    Ans: વલસાડ

95

ગુજરાતનો કેટલો વિસ્તાર વેટ લૅન્ડ ધરાવે છે?    Ans: ૨૭,૦૦૦ ચો. કિમી.

96

ગુજરાતનું રાજયપક્ષી કયું છે?    Ans: સુરખાબ

97

ગુજરાતના કયા શહેરમાં કલાત્મક વાસણોનું સંગ્રહસ્થાન આવેલું છે?    Ans: જામનગર

98

‘તને સાંભરે રે, મને કેમ વીસરે રે‘ ના કવિ કોણ છે?    Ans: પ્રેમાનંદ

99

પાલીતાણામાં જૈન દેરાસર ઉપરાંત કયા મુસ્લિમ પીરની દરગાહ આવેલ છે?    Ans: અંગરશા પીર

100

ગુજરાતની પ્રથમ લૉ કોલેજ કોણે-કોણે શરૂ કરી હતી?    Ans: સરદાર પટેલ, કસ્તુરભાઇ લાલભાઇ, પુરુષોત્તમ માવળંકર


No comments:

Recent post

ભારતનું બંધારણ Question & Answer

નમસ્તે